Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ભાવનગરમાં એસીડ પીને યુવાનનો આપઘાત

ભાવનગર તા. ર૦ :.. ભાવનગર શહેરમાં યુવાને એસીડ પી જઇ આપઘાત વહોરી લીધો હતો.

વિગતો મુજબ શહેરનાં વડવા તલાવડી વિસ્તારમાં રહેતા ભરતભાઇ કાળુભાઇ વાઘેલા ઉ.૩૪ એ તેનાં ઘેર કોઇ અકળ કારણોસર એસીડ ગડગડાવી લેતાં અત્રેની સર ટી. હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયુ હતું.

અકસ્માતમાં પોલીસને ગંભીર ઇજા

ભાવનગરનાં નવાપરા પોલીસ લાઇનમાં રહેતાં અને ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મનસુખભાઇ મનજીભાઇ રાઠોડ ઉ.પપ, નોકરી પુરી કરી તેનાં બાઇક ઉપર ઘોઘાથી ભાવનગર આવી રહ્યા હતા ત્યારે તેને અવાણીયા નજીક વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતાં હોસ્પીટલ ખસેડાયેલ છે જયાં તેની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે.

(11:37 am IST)