Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

વેરાવળમાં શ્રી સોમનાથ મહાદેવને મેઘરાજા દ્વારા જળાભિષેક

રાજકોટ તા. ર૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે મિશ્ર વાતાવરણ સાથે હળવા-ભારે ઝાપટા રૂપે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે આજે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ-શ્રી સોમનાથ મહાદેવ મંદિર આસપાસ પણ મેઘરાજા વરસ્યા હતા અને શ્રાવણ મહિનાના બીજા સોમવારે મેઘરાજાએ શ્રી સોમનાથ મહાદેવ ઉપર જળાભિષેક કર્યો હોય તેવો માહોલ છવાયો હતો.આ ઉપરાંત દ્વારકા, ખંભાળીયા, વેરાવળ, ભેંસાણ, જુનાગઢ, માણાવદર, ગોંડલ, ઉપલેટા, પોરબંદર, કુતિયાણામાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા.

(3:58 pm IST)