Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કાલે જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં વિજયભાઈ રૂપાણીના હસ્તે પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાને ડોકટરેટની માનદ ડીગ્રી એનાયત થશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૦ :. આવતીકાલે નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ચાર જીલ્લાના ૩૦૩૬૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાનો સમારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. જેમા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જવાહરભાઈ ચાવડા, વિભાવરીબેન દવે, પ્રખર ભાગવતાચાર્ય પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં ૫૪ ગોલ્ડ મેડલ તથા રેન્ક સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.

આ સમારંભમાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને માનદ ડોકટરેટ (પીએચડી)ની પદવી વિજયભાઈ રૂપાણીના હસ્તે એનાયત થશે. કોવિડની ગાઈડલાઈનના ચૂસ્ત પાલન સાથે કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી થઈ રહી છે.

(2:12 pm IST)