Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મોરબીમાં ડોકટરો-નર્સીંગ સ્ટાફનું સન્માન

 મોરબી : પરશુરામ ધામ ખાતે કોરોના મહામારીના સમયમાં સેવા આપનાર ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. પરશુરામ ધામ ખાતે કોવીડ કેર અને આઈસોલેશન સેન્ટર બ્રહ્મસમાજના દર્દીઓ માટે શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ડોકટર, નર્સિંગ સ્ટાફ અને કાર્યકરોએ નિસ્વાર્થ સેવાઓ આપી હોય તેવા તમામ સેવાભાવીઓના સન્માન કરવામાં આવ્યા હતા. જે કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ જોષી, ધ્યાનેશભાઈ રાવલ, ચિંતનભાઈ ભટ્ટ અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:40 am IST)