Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સુરતમાં પિતાની હત્યા કરનાર નરાધમે વિરપુરમાં પત્નિની પણ હત્યા કરી'તી

એકાદ વર્ષ પહેલા મજૂર મહિલાની હત્યાનો ભેદ ખુલ્યોઃ આદિવાસી રવિ પ્રતાપ વસાવા (ઉ.૩૦) ની ધરપકડ

જેતપુર તા. ર૦ :.. એકાદ વર્ષ પહેલા વિરપુરમાં મજૂરી કામ કરવા આવેલ આદિવાસી શખ્સે પત્નીની હત્યા કરી દાટી દિધા બાદ સુરતના ક્રિમ વિસ્તારમાં પિતા સાથે ઝઘડો થતા તેને પતાવી દઇ લાશ દાટી દીધી કિમ પોલીસની પુછપરછમાં પત્નીની હત્યા કર્યાની કબુલાત આપતા ભાંડો ફૂટયો છે.

પોલીસ વર્તુળમાંથી જાણવા મળતી વિગત અનુસાર સુરતના નેધર પુરી પોલીસે આરોપીને પકડી વધુ તપાસ માટે કિમ પોલીસને સોંપતા અધિકારીઓ આરોપી આદિવાસી રવિ પ્રતાપ વસાવા (ઉ.૩૦) રહે. સેવતી જી. તાપી એ ૪ થી પ માસ પહેલા સુરતના પુડસદ ગામે રહેતા તેના પિતા પ્રતાપભાઇ ઇશ્વરભાઇ વસાવા (ઉ.પ૦) ની સાથે રહેલો અને રાત્રે કોઇ કારણોસર બોલાચાલી થતા માથામાં પથ્થર મારી રવિએ તેના પિતા પ્રતાપભાઇની હત્યા કરી નાખી બીજા દિવસે તેના આદિવાસી લોકોની સાથે મૃતદેહને દાટી દીધેલ તેવી કબુલાત આપેલ તેથી પોલીસે તેની રીમાન્ડ લેતા રવિએ તેની પત્નીની પણ હત્યા વિરપુર ગામે કરી હોવાનું કબુલ્યુ હતું.

હકિકત જણાવતા કહેલ કે એક વર્ષ પહેલા તે તેની પત્ની અને પુત્ર સાથે જેતપુરના વિરપુર ગામે મજૂરી કામ કરવા જેઠાબાપાના  મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતો ગત તા. ર૧-૩ હોળીના રોજ પોતે દારૂ પીવાની ટેવ વાળો હોય રાત્રીના દારૂ પીને સુઇ ગયેલ રાત્રે તેનો પુત્ર રડતો હોય તેને છાનો રાખવા તેની પત્ની શીતલબેન ને ઉઠાડવા ગયો પરંતુ તે જાગેલ નહી અને તેને જમવા બાબતે તેની સાથે બોલાચાલી થયેલ હોય મગજનો કાબુ ગુમાવી હત્યા કરી નાખી હતી.

(2:32 pm IST)