Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

પતિ માર મારી કાઢી મુકતો હોય પતાવી દીધો !

મોરબીના રંગપર પાસે શ્રમીક યુવાનની હત્યામાં પકડાયેલ પત્ની કિરણદેવીની કબુલાત : પૂર્વ પતિ સાથે મળી કાસળ કાઢી નાંખ્યું : આજે બન્નેના રીમાન્ડ મંગાશે

તસ્વીરમાં પકડાયેલ પત્ની અને તેનો પૂર્વ પતિ નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ મોરબી)

મોરબી, તા. ર૦:  મોરબીના રંગપર નજીક શ્રમીક યુવાનની હત્યામાં પકડાયેલ પત્ની અને તેના પૂર્વ પતિને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાનાર છે. પકડાયેલ પત્ની કિરણદેવીએ પતિ માર મારી ઘરમાંથી કાઢી મુકતો હોય પૂર્વ પતિ સાથે મળી પતાવી દીધાની કેફીયત આપી હતી.  પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રંગપર નજીક ઈરેટો સેનેટરીમાં કામ કરતા શ્રમિક રામસિંગ ભવરલાલનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં મૃતકની પત્ની કિરણદેવી ફરાર હોય જેને ઝડપી લેવા જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાદ્યેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એમ વી પટેલ, પીએસઆઈ આર પી જાડેજા તેમજ પોલીસની ત્રણ ટીમોએ એમપી, બિહાર અને દમણ સુધી તપાસ ચલાવી હતી જેમાં હત્યારી પત્ની કિરણદેવી રામસિંગ (ઉ.વ.૨૮) મૂળ એમપી અને તેનો પૂર્વ પતિ ઇન્ધ્લ ધનોરી પાસવાન (ઉ.વ.૩૮) રહે મૂળ બિહાર હાલ દમણ વાળાને ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા બંને ઇસમોએ હત્યા કર્યાની કબુલાત આપી હતી મૃતકની પત્ની કિરણદેવીએ તેના પૂર્વ પતિ ઇન્ધ્લ પાસવાનને દમણથી બોલાવી રાત્રીના સમયે ઓરડીમાં આવી પતિ રામસી઼ગના માથા પર પાંચ કિલોના પથ્થર વડે માથામાં દ્યા ઝીંકી હત્યા કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ કિરણદેવીના અગાઉ ઇન્દ્રલ પાસવાન સાથે લગ્ન થયા હોય અને તે દમણ ફેકટરીમાં કામ કરતા હોય જયાં મૃતક રામસિંગ પણ રહેતો હોય અને કિરણદેવી સાથે તેને લગ્ન કરતા ઇન્દ્રલ પાસવાને છૂટાછેડા આપી દીધા હતા જોકે રામસિંગ સાથે લગ્ન બાદ અવારનવાર ઝદ્યડો થતો, અને મારમારી ઘરમાંથી કાઢી મુકતો હોય જેથી પૂર્વ પતિને મોરબી બોલાવી પતિનું કાસળ કાઢી નાંખ્યું હતું. પકડાયેલ બન્ને ને આજે સાંજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાશે.

(1:22 pm IST)