Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

મોરબીની વીસી હાઇસ્કુલની કાયાપલટ કરનાર આચાર્યની બદલીથી વિદ્યાર્થીઓ નારાજ

મોરબી તા.૨૦ : મોરબીની વી.સી. ટેકનીકલ હાઈસ્કૂલમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આચાર્યની તાજેતરમાં બદલી કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ, સ્ટાફ સહિતનાઓમાં નારાજગી જોવા મળી રહી છે અને બદલી રોકવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

 મોરબીની વી.સી.ટેકનીકલ હાઈસ્કૂલમાં એપ્રિલ ૨૦૧૭ માં આચાર્ય તરીકે બી એન વિડજા ફરજ પર હાજર થયા હતા અને બાદમાં તેને શાળાની કાયાપલટ કરવાનું શરુ કર્યું હતું આચાર્યના ઉત્સાહ અને કર્તવ્યનિષ્ઠાને પગલે તમામ સ્ટાફ તેમની સાથે જોડાયો હતો અને સદ્યન પ્રયાસોને પગલે વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ સારો એવો વધારો થયો હતો અને એસએસસી તેમજ એચએસસીના પરિણામોમાં પણ આચાર્ય અને સ્ટાફની મહેનત ઉડીને આંખે વળગી હતી વીસી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫૦૦ ને પાર પહોંચાડવા માટે આચાર્ય તરીકે બી એન વિડજાએ દિવસ રાત અથાગ મહેનત કરી છે તે સૌ કોઈ જાણે છે ત્યારે વિવાદોથી હમેશા જોજનો દુર રહેતા અને માત્ર પોતાની શાળાનું હિત હરહમેશ જોનાર આચાર્યની બદલી કરવામાં આવી છે જેથી શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓમાં હતાશા જોવા મળી રહી છે અને સૌ કોઈ નારાજ છે તેમજ આચાર્યની બદલી રોકી તેમને વી સી હાઈસ્કૂલમાં જ આચાર્ય તરીકે કાર્યરત રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

(11:22 am IST)