Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ભાવનગરની રથયાત્રામાં પ્રથમ નંબરે વિજેતા સરદાર યુવા મંડળને રોકડ પુરસ્કાર અર્પણ

ભાવનગર તા.૨૦ : ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સરદાર યુવા મંડળ દ્વારા ભૂલો ભલે બીજુ બધુ મા - બાપને ભૂલશો નહી વિષય ઉપર ફલોટ રજૂ કરેલ. ફલોટ રથયાત્રામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ રથયાત્રામાં ફલોટે ભારે આકર્ષણ ઉભુ કર્યુ હતુ. રથયાત્રા સમિતિના અધ્યક્ષ શ્રી દરૂભાઇ ગોંડલીયા તથા વસાણીભાઇના હસ્તે સરદાર યુવા મંડળની ટીમને રોકડ પુરસ્કાર અર્પણ કરેલ. જેમાં મંડળના પ્રમુખ ભરતભાઇ મોણપરા, કાનજીભાઇ બાંભણીયા, ભરતભાઇ મકવાણા, જીજ્ઞેશભાઇ ભુતૈયા, અશોક પંડયા, જે.ડી.ધાયા, જયેશ પટેલ, પીનાકિન દરજી, અશોક મકવાણા ઉપસ્થિત રહેલ. પુરસ્કાર સ્વીકારેલ તે તસ્વીર.

(11:48 am IST)