Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

રાહુલ ગાંધીના ૪૮મા જન્મદિને ઘરશાળા વઢવાણ ખાતે ૪૮ વૃક્ષો નુ રોપણ

આ પ્રસંગે ઘરશાળામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ,જિલ્લા કોંગ્રેસ પ્રવકતા સાહીર સોલંકી, સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશ કોટેચા, વઢવાણ શહેર ઉપપ્રમુખ યાસીન કોંડિયા તથા કોંગ્રેસના પાયાના કાર્યકરોએ શ્રી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે યશ આયુષ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી અને સામુહિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શ્રી રાહુલગાંધી. ૪૮ વર્ષ પૂર્ણ કરતા વિધાર્થીઓ વધુ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અંગે વકૃત્વ સ્પર્ધા દ્વારા ઝાલાવાડમાં હરિયાળી ક્રાંતિ લાવવા ઘર દિઠ એક છોડ વાવવાની અપીલ કરી હતી. આ અભિયાન મા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ,જિલ્લા પ્રવકતા સાહિર સોલંકી શહેર પ્રમુખ કમલેશ કોટેચા, તથા પાયાના કાર્યકરો. લોકોના ઘર ઘર ફરીને વૃક્ષારોપણ રોપવા અનુરોધ કર્યો,અને ઘરશાલાના વિદ્યાર્થી ઓને બિસ્કિટ ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું.(તસ્વીરઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)

(1:26 pm IST)