Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ચોમાસામાં ચેતવું જરૂરી...ધારીના ખિચામાં રસિલાબેન ચૌહાણનું જનાવર કરડતાં મોત

કોળી મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૦: ચોમાસાની ઋતુમાં જનાવર કરડી જવાના બનાવો વધી જાય છે. આવા કિસ્સામાં ઘણીવાર મોત પણ નિપજે છે. ધારીના ખિચા ગામના કોળી મહિલાને પગમાં જનાવર કરડી જતાં મોત નિપજ્યું છે.

ખિચા ગામે રહેતાં રસિલાબેન રામભાઇ ચૌહાણ (કોળી) (ઉ.૪૦) ગઇકાલે સાંજે વાડીના રૂમ બહાર બેઠા હતાં ત્યારે પગમાં જનાવર કરડી જતાં ધારી સારવાર આપી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત મોડી રાત્રે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી ધારી પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર રસિલાબેનના પતિ ખેત મજૂરી કરે છે. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. ચોમાસામાં સાપ સહિતના જનાવર કરડવાના બનાવો વધી જતાં હોઇ ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતાં લોકો ચેતતા રહે તે જરૂરી છે.

(11:39 am IST)