Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ભાવનગર ડિસ્ટ્રીકટ જેલમાં ડો. સુનીલ મહેતા દ્વારા યોગ શિબીર સંપન્ન : એક વર્ષ સુધી કાર્યક્રમો યોજાયા

ભાવનગર તા ૨૦  :  જગદીશ્વરમ ફાઉન્ડેશન તથા ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશનના સંયુકત ઉપક્રમે યોજાયેલ ગત તા.૨૧ જુન ૨૦૧૮ થી જગદીશ્વરમ ફાઉન્ડેશન દ્વારા ડિસ્ટ્રીકટ જેલ ખાતે દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે બંદિવાન ભાઇઓ તથા બહેનો માટે યોગા અભ્યાસ તેમજ નિર્સગોપચાર માહીતી પરામર્શ, ગાંધી જયંતિની  ઉજવણી કરી  બંદીવાન ભાઇઓનું આરોગ્ય તથા તેમનું મનોબળ વધે  તેમજ હકારાત્મક વિચારો સતત સિંચન થાય તે માટે ધ્યાન, પ્રાણાયમ, હાશન, સતત ૧ વર્ષ સુધી આ ૨૧ જુન ૨૦૧૯ સુધી સતત યોગાભ્યાસ કરી જગખીશ્વરમ્ ફાઉન્ડેશનના ડો. સુનિલ મહેતા તથા ટીમ દ્વારા જેલના અધિકારીઓ, જેલરતેમજ જેલઅધિક્ષકશ્રી દ્વારા ખાસ સરહાના કરવામાં આવેલ છે.આમ ૨૧ જુન ૨૦૧૮ થી ૨૧ જુન ૨૦૧૯ માં યોગા-ડે ને યોગા ઇયરમાંબદલી ડિસ્ટ્રીકટ જેલ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.

(11:35 am IST)