Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભાવનગરમાં પુંજારા શખ્સની હત્યાના ૩ આરોપીઓની ધરપકડ

ભાવનગર તા. ૨૦ : ભાવનગરમાં યુવાનની ઘાતકી હત્યા કરનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે હત્યામાં ઉપયોગમા઼ લેવાયેલ છરી પણ કબ્જે કરી છે.

ભાવનગરના અલકાગેટ પોલીસ સ્ટેશન નજીક સોમવારની મોડી રાત્રે રિયાઝ અહેમદભાઇ મનસુરી ઉ.વ. ૩૫ ની ત્રણ શ્સોએ કરપીણ હત્યા કરી હતી. આ હત્યા ખુનકેસમાંથી જામીન ઉપર છુટી ગયેલા સાજીદ ઉર્ફે ડબલ મર્ડરવાળો , અહેમદ ઉર્ફે મુંગો અને તૌફિક ઉર્ફે કાળુએ કરી હોવાની ફરિયાદ મૃતક રિયાઝના ભાઇ એ કરી હોવાથી એ ડીવીઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી.

દરમ્યાન એ ડિવીઝન પોલીસે આ ખુન કેસમાં ત્રણેય આરોપી ને ખુનમાં વપરાયેલા છરી સાથે ઝડપી લીધા હતા. ત્રણેય શખ્સોએ હત્યાની કબુલાત કરી હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યુ છે. પોલીસે ઝડપાયેલ શખ્સોની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)