Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

દ્વારકામાં રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો અને પ્રવાસીઓ હેરાન

દ્વારકા તા.૨૦ : ન્યુ પત્રકાર એસોસિએશન દ્વારા આજરોજ દ્વારકા નગરપાલીકા ખાતે પાલીકાના ચીફ ઓફીસર શ્રી ડુડીયાને રખડતા પશુના ત્રાસ દિન પ્રતિદિન વધતો જતો હોય જેના ત્રાસને કારણે દ્વારકાવાસીઓ તેમજ બહારથી પધારતા ભાવિકોને ભારે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો હોય આ સમસ્યાના કાયમી ઉકેલ માટે યોગ્ય કરવા માટે આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

આ સમસ્યાથી યાત્રાળુઓ તેમજ સ્થાનિકોને જાનમાલની નુકશાની થઇ હોવાની અને થઇ રહી હોવાનું જણાવી કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. આ સાથે પાલીકા દ્વારા સમસ્યાનું નિરાકરણ નહી લવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચિમકી આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી હતી.

પાલીકા દ્વારા યોજનાબધ્ધ રીતે આ સમસ્યાના નિરાકરણની પ્રક્રિયાને આખરી ઓપ અપાયો હોય ટુંકમાં રખડતા પશુઓને પકડવાની કાર્યવાહીનો આરંભ થાય તે અપેક્ષીત છે.

(11:30 am IST)