Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

શ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સોનારીયા દ્વારા વેરાવળના ભાલપરા ગામે અનુસૂચિત જાતિનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો

સમૂહ લગ્નમાં માં અથવા બાપ વિહોણી 13 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા: વ્યસન મુક્તિનો કાર્યક્રમ પણ રખાયો:હોમિયોપેથીક અને આયુર્વેદિક કેમ્પનું પણ આયોજન: વરરાજાને પાંચ લાખના વીમાનું સુરક્ષાકવચ પણ પૂરું પાડ્યું

પ્રભાસ પાટણ:શ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સોનારીયા દ્વારા વેરાવળના ભાલપરા ગામે અનુસૂચિત જાતિનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો  સમૂહ લગ્નમાં માં  અથવા બાપ વિહોણી 13 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આ તકે સંસ્થા દ્વારા વરરાજાને હેલ્મેટ આપી અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન થાય તે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી સમૂહ લગ્નમાં વ્યસન મુક્તિનો  કાર્યક્રમ પણ રખાયો હતો. અને હોમિયોપેથીક અને આયુર્વેદિક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ,હેલ્મેટ ની સાથે સાથે સંસ્થાએ તે વરરાજાને પાંચ લાખના વીમાનું સુરક્ષાકવચ પણ પૂરું પાડ્યું હતું.

 આ સમૂહ લગ્નમાં ઉગારામદાદા આશ્રમના મહંત પરમ પૂજ્ય ગોરધન બાપા એ નવદંપતીને આશિર્વચન પાઠવ્યા હતા. આ ઉપરાંત પૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સદસ્ય શ્રી રાજુ ભાઈ પરમાર, સોમનાથ ટ્રસ્ટ. ના  ટ્રસ્ટી  જે. ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, કોડીનાર ના ધારાસભ્ય શ્રી મોહનભાઈ વાળા, સોમનાથ ના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, જિલ્લા પ્રમુખ ના પ્રતિનિધિ બચુભાઈ વાજા, જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મનસુખભાઇ ગોહેલ, તાલાલા ધારાસભ્ય ના પ્રતિનિધિ વિજુભાઈ બારડ, ગીર સોમનાથ ના પૂર્વ પ્રમુખ મણીબેન રાઠોડ ,શિક્ષણ સમિતિ ચેરમેન ના પ્રતિનિધિ માલદેભાઈ પટાટ, સામાજિક કાર્યકર જગમાલભાઇ વાળા, સમાજ કલ્યાણ અધિકારી શાક્ય સિંહ ચાવડા, જિલ્લા પંચાયતના સદસ્ય  અરસીભાઈ  ચાવડા,તથા હરસુખભાઈ મકવાણા,કોડીનાર સમાજ અગ્રણી વજુભાઈ વાજા, પ્રોફેસર જે.એમ.કાથડ, પ્રોફેસર પી.પી. રાઠોડ ,નાયબ ઈજનેર નીલેશભાઇ વાઢેર ,પટેલ પરસોતમભાઈ સોલંકી અરજનભાઈ ભજગોતર ,દેવ એજયુ. ટ્રસ્ટના પ્રમુખ ગુણવંતભાઇ બગડા,પ્રવીણભાઈ આમ્હેડા, કોડીનાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ગોરધન ભાઈ રાઠોડ, ભગવાનભાઈ ચાવડા પ્રમુખ ધામળેજ,  સમૂહ લગ્ન સમિતિ નાવદ્રાના રમેશભાઈ પટેલ,  સંગીતાબેન ચાંડપા. ભીમાભાઇ સોલંકી ,મહેશ ભાઈ રાઠોડ , ભાલપરાના સરપંચ શ્રી દેવાભાઈ બામણીયા, કુકરાસના સરપંચ  મંગાભાઈ સોલંકી,  ઉમરાળા સરપંચ પ્રકાશભાઈ ચાડપા, ચગીયાના સરપંચ રામસીભાઈ બગડા, મોરડીયા ના સરપંચ ભગવાનભાઇ વાઢેર, પત્રકાર દેવાભાઈ રાઠોડ તથા રાજેશભાઈ ભજગોતર  પૂર્વ અધ્યક્ષ નારણભાઈ બામણીયા ,ગોવિંદભાઇ ચાવડા, પીઠાભાઇ આમહેડા, બુજન ભાઈ વાળા, અરજણભાઈ રાઠોડ, રાજુભાઈ સોની, ટાભા ભાઈ પરમાર, પી. ડી. મકવાણા ,બચુભાઈ કાથડ ,દાનાભાઈ સોસા ,રામભાઈ  વાણવી, ભગવાનભાઈ ચાવડા, સાજણ ભાઈ ચાવડા, હમીરભાઇ પંપાણિયા ભાલપરા, ભુપતભાઈ સોલંકી, માધાભાઈ રાઠોડ, ગૌતમ ભાઈ પરમાર હાજર રહ્યા હતા

  સમૂહ લગ્નનું દરેક દીકરીઓને કરિયાવર સોમનાથ ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું, તેમજ આયુષ કેમ્પમાં ડોક્ટર સ્વાતિબેન સોલંકી અને ડોક્ટર જયદીપ લાખાણીએ પોતાની સેવાઓ આપી હતી,  વ્યસન મુક્તિ કાર્યક્રમ માં રામભાઈ કટારીયાએ સેવા પૂરી પાડી હતી, લગ્ન વિધિ સામતભાઈ બૌદ્ધ તથા લગ્ન ગીત દિનેશભાઈ વાણવી એ રજૂ કર્યા હતા , સ્વયંસેવક ની ભૂમિકા યુવા ગ્રુપ કાજલી ,ઉગમ કૃપા નારાયણ વાડી. બાદલપરા યુવક મંડળ, ભાલપરા યુવક મંડળ એ નિભાવી હતી, સમૂહ લગ્ન સફળ બનાવવા સંસ્થાના સલાહકાર જે.ડી. પરમાર, પ્રમુખશ્રી ભગવાન ભાઈ સોલંકી, જેઠાભાઇ વાળા, જ્યોતિબેન મકવાણા, કિરણબેન સોસા,  સાજણભાઈ પરમાર, નાનજીભાઈ વાઘેલા, વનરાજભાઈ વાળા, દિનેશભાઈ વાજા, દિનેશકુમાર ચાડપા, રામસિંગભાઈ સોસા એ ખૂબ  જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યનું સફળ સંચાલન વિનય ભાઈ રાઠોડ તેમજ દીપલબેન સોલંકીએ કહ્યું હતું

(11:59 pm IST)