Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

જામજોધપુરના ધુનડામાં પુ. જેન્તિરામબાપાના સત્સંગનો લાભ લેતા ભાવિકોઃ

જુનાગઢ જામજોધપુરથી ર૧ કી.મી.ના અંતરે આવેલ ધુનડા સતપુરાણધામ આશ્રમે વૈશાખી પુનમ નિમિતે પુ. જેન્તિરામબાપાના ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના પ્રાંતોમાંથી સતપરિવારના સત્સંગનો ધર્મલાભ લીધો હતો ઉપરોકત તસ્વીરમાં આજના તનાવભર્યા જીવનમાં શાંતિમય અને અને આનંદમય જીવન કેવી રીતે જીવાય તેનું સત્સંગ દ્વારા અનુભવગત માર્ગદર્શન આપતા પુ.જેન્તિરામબાપા તેમજ સત્સંગસભામાં ઉપસ્થિત સત્સંગી પરિવારો નજરે પડે છે. (અહેવાલ-વિનુ જોષીઃ તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:04 pm IST)