Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

કુતિયાણામાં કેરોસીનનો દીવો માથે પડતા પરિણીતાનું મોત

પોરબંદર : કુતિયાણામાં કેરોસીનનો દીવો  માથે પડતા પરિણીતાનું મૃત્યુ નિપજયું હતું. કુતિયાણાના હોળીયાકલમાં રહેતા ભાવનબેન ઘરે હતા ત્યારે અચાનક સળગતો કેરોસીનનો દિવો માથે પડતા તેઓ ગંભીર રીતે  દાઝી ગયા હતા. સારવાર માટે તેમને રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જયા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજયું હતું.

(12:28 pm IST)