Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

રાજુલાના ચાલતા આંદોલનમાં ગરમીને કારણે મહિલાનું મોત

રાજુલા : રાજુલામાં જીએચસીએલ અને ભૂમાફિયાઓ સામે ચાલતા આંદોલનમાં એક મહિલાની ગરમીને લીધી તબિયત લથડતા પ્રથમ સારવાર અર્થે રાજુલા ભાવનગર અને બાદમાં અમદાવાદ ખસેડવામાં આવી હતી. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું.

રાજુલાના છેલ્લા રપ દિવસથી જીએચસીએલ કંપની અને ભૂમાફિયા દ્વારા કરવામાં આવેલા દબાણ અને લીઝ પૂર્ણ થયેલ હોવા છતાં મીઠાનું ઉત્પાદન શરૂ રાખવામાં આવ્યુ઼ હોઇ તે રદ કરવા અને જમીનના ખાલી કરવા અથવા જીએસસીએલને ફાળવેલી જમીનની શરતો મુજબ લોકોને રોજગારી આપવાની માંગણી સાથે આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ટેકો આપવા આવતા મહિલા ભાણીબેન પુનાભાઇ સાંખટ (ઉ.વ.ર૯) રે. પીપાવાવા ધામની આજે તબિયત લથડતા તેમને પ્રથમ સારવાર અર્થે રાજુલા, ભાવનગર અને બાદમાં અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેનું મૃત્યુ નિપજયું હતું.

(12:28 pm IST)