Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ભાજપના સભ્યપદેથી રાજીનામાની ચિમકી બાદ વિરનગરની હોસ્પીટલમાં ડો. ભરત બોઘરા દોડી ગયાઃ ઓકિસજનના ૧૦ બાટલાની વ્યવસ્થા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૨૦ :. વિરનગરની શિવાનંદ મિશન હોસ્પીટલમાં મુખ્યમંત્રી અને કલેકટરની જાહેરાત બાદ ઓકિસજનની સુવિધા ચાલુ ન થતા જિલ્લા પંચાયતના સભ્ય અને વિરનગરના દક્ષાબેન પરેશભાઈ રાદડિયાઍ ભાજપના સભ્યપદેથી રાજીનામુ આપવાની ચીમકી આપતા તેના ઘેરા પડઘા પડયા હતા અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા આજે બપોરે ઓકિસજનના ૧૦ બાટલા સાથે વિરનગરની હોસ્પીટલે દોડી ગયા હતા. સાંજ સુધીમાં વધુ ૧૦ ઓકિસજનના બાટલા આપવામાં આવશે ત્યાર બાદ વિરનગરની હોસ્પીટલમાં ૫૦ જેટલા ઓકિસજનના બાટલા પણ પુરા પાડવામાં આવશે.

(7:34 pm IST)