Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

જસદણ નવાગામના તલસાણીયા દાદા મંદિરના મહંત જોગાભાઇનો દેહવિલય

જસદણ : ઘેલાં સોમનાથ નજીક નવાગામના વિખ્‍યાત તીર્થધામ તલસાણીયા દાદા મંદિરના મહંત (આપા) જોગાભાઇ જોધાભાઇ પરમારનો દેહવિલય થતા જસદણ - વિંછીયા પંથક સહિત રાજયભરના હજજારો ભાવિકોમાં ઊંડા શોકની લાગણી છવાઇ હતી.

નવાગામમાં ખેતી કરી પ્રમાણીક જીવન વિતાવનારા સ્‍વર્ગસ્‍થ જોગા આપાના નામથી જાણીતા જોગાભાઇએ વર્ષો સુધી તલસાણીયા દાદાના મહંતપદે રહ્યા દરમિયાન દરેક ભાવિકો માટે પાણીથી લઇ ભોજન સુધીની વ્‍યવસ્‍થા સફળતાપૂર્વક ઉભી કરી હતી રોટલો આપવાની સૌરાષ્‍ટ્રની પરંપરા તેમણે જાળવી રાખી હતી. છેલ્લી ઘડી સુધી ઇશ્વરનું રટણ અને લોકોની સેવા કાજે જીવન અર્પણ કરેલ તેઓ ૯૯ વર્ષની વય ધરાવતાં હતાં.  સદગત જોગા આપાના અંતિમ સમયે પુત્રો હમીરભાઇ, રઘુભાઇ, બેસુરભાઇ, ગોબરભાઇ, રણછોડભાઇ, ઓઘડભાઇ, લાલાભાઇ સહિતનો તમામ પરિવાર ઉપસ્‍થિત રહેલ. શોક સંદેશા માટે મો. ૯૭રપ૮ ૭પ૪પ૧, મો. ૮પ૧૧૮ રપ૦૧૦

(11:47 am IST)