Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

સોમનાથ શોપીંગ સેન્ટર અને વાનરસેના દ્વારા હનુમાન જયંતિ નિમિતે કિલ્લાવાળા હનુમાનજી મંદિરે ભવ્ય કાર્યક્રમઃ ૮ હજાર લોકએ લીધો પ્રસાદ

પ્રભાસપાટણ, તા.૨૦: સોમનાથી શોપીંગ સેન્ટર અને વાનરસેના દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી સોમનાથી મંદિરની બાજુમાં આપેલ અને પ્રાચીની કિલ્લાવાળા હનુમાનજીનું મંદિર આવેલ છે જયાં દિવસભર કાર્યક્રમ ચાલુ રહેલ.

જેમાં વહેલી સવારનાં પ કલાકે મહાઆરતી કરવામાં આવેલ. ૧૧ કલાકે મંદિરે ધ્વજારોહણ કરવામાં આવેલ અને સાંજનાં ૪ કલાકથી મહાપ્રસાદ શરૂ કરવામાં આવેલ જેમાં ૭થી૮ હજાર યાત્રીકો અને સ્થાનિક લોકોએ પ્રસાદીનો લાભ લીધેલ અને ૭ કલાકે આરતી બાદ જશમીનભાઇ અને તેમની ટીમ દ્વારા સુંદરકાંડ શરૂ કરવામાં આવેલ.

સોમનાથ શોપીંગ સેન્ટરનાં ૧૧૦ દુકાનદારો અને વાનરસેના દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ દુકાનદારોએ પોતાના કામ ધંધામાં બંધ રાખીને આ કાર્યક્રમમાં જોડાયા હતા તેમજ ઠંડી છાશ અને પાણીનું પણ આયોજન હતુ તેમજ કિલ્લાવાળા હનુમાનજી મંદિરે અન્નકોટનાં લોકોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.(તસ્વીર.દેવાભાઇ રાઠોડ.પ્રભાસપાટણ)

(2:32 pm IST)