Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ભાવનગરમાં બાટલામાં લાગેલી આગમાં મહિલાનું મોત

ભાવનગર તા.૨૦: ભાવનગરમાં રાંધણગેસનાં બાટલામાં આગ લાગતા દાઝી ગયેલ મહિલાનું મોત નિપજયું છે.

ડોન વિસ્તારમાં સાંઇબાબાના મંદિર નજીક રહેતાં અમિષભાઇ શાંતિભાઇ અંધારીયાનાં મકાનમાં રાંધણગેસનાં બાટલામાં આગ ભભૂકી ઉઠતાં નીલાબેન અમિષભાઇ અંધારીયા ઉ.વ.૫૭ ગંભીર રીતે દાઝી જતાં અત્રેની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયંુ હતું.

બાઇક માંથી પર્સની ઉઠાંતરી

મતવા ચોક વિસ્તારમાં મેન્શન ફલેટમાં રહેતા અને અલંગની વસ્તુઓનો વેપાર કરતા અફઝલઅલી યાકુબઅલી હિરાણી પોતાની દુકાન બંધ કરી વેપારમાં આવેલ વકરાના રૂ. ૩૫ હજાર પર્સમાં મુકી પર્સ બાઇકનાં હેન્ડલમાં રાખી ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં અલકા સિનેમા કુંભારવાડા રોડ પર અજાણ્યાા શખ્સે તેના બાઇકનાં હેન્ડલમાં રહેલ રોકડરકમ ભરેલા પર્સની ઉઠાંતરી કરી નાસી છુટયો હતો. આ અંગે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે.

(12:12 pm IST)