Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ધોરાજી શહેર તાલુકાના પ૦૦૦ ભુદેવોએ બ્રહ્મચોર્યાસીમાં મહાપ્રસાદ લીધો....

સ્વામીનારાયણ મંદિરના ૩૪માં પાટોત્સવ પ્રસંગે

ધોરાજી તા. ર૦ : ધોરાજી પ્રસાદીના સ્વામીનારાયણ મંદિરના ૩૪માં પાટોત્સવ પ્રસંગ ધોરાજી શહેર અને તાલુકાના પ૦૦૦ હજાર જેટલા ભુદેવો સમસ્ત બ્રહ્મસમાજ ''બ્રહ્મચોર્યાસી'' પ્રસંગે પધાર્યા હતા.

આ સમયે મંદિરના મહંત પુરાણી સ્વામી મોહન પ્રસાદ સ્વામીએ  મંદિરના વિવિધ સંતો દ્વારા ભુદેવોની પુજા અર્ચના કરતા જણાવેલ કે ભગવાત સ્વામિનારાયણએ અહી ધોરાજીમાં લાલવડ હનુભાતવાડી ખાતે બે બે વખત બ્રહ્મચોર્યાસી કરેલ છે અને ધોરાજી મંદિર બાપુભારથી આ પ્રસાદીની જગ્યાએ દરવર્ષ પાટોત્સવ પ્રસંગે બ્રહ્મચાર્યાસીનું આયોજન કરવામાં આવેલ છે.આ પ્રસંગે કિશોરભાઇ નાથાભાઇ માવાણીના યજમાન પદે તમામ ભુદેવોનું સ્વાગત કરી ભેટપુજા અર્પણ કરી ભાવે ભોજન મહાપ્રસાદ આપેલ હતો.

આ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ડો. નિશીથભાઇ વ્યાસ (એમ.ડી.) વિગેરે ધોરાજી બ્રહ્મસમાજના આગેવાનોએ બ્રહ્મચાર્યાસીને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.

આ સમયે ડે. કલેકટર તુષાર જોષી, કિશોરભાઇ માવાણી, ભાવેશભાઇ માવાણી, કિશોરભાઇ રાઠોડ, નયનભાઇ કુહાડીયા, જગદીશભાઇ સહીત અનુભવીએ ઉપસ્થિત રહ્યા હતા.

(1:01 pm IST)