Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

વાંકાનેરમાં પ્રધાનમંત્રી ઉજજ્વલા કાર્યક્રમમાં અધિકારીઓ-પદાધિકારીઓ માટે પંખા-કુલર

લાભાર્થીઓ બહાર ગ્રાઉન્ડમાં બેઠા !!

વાંકાનેર તા. ૨૦:  આજે સવારે પ્રધાનમંત્રી ઉજજ્વલા યોજના હેઠળ લાભાર્થીઓને કનેકશન આપવા માટેનો કાર્યક્રમ જીવપરામાં શ્રી વિશ્વકર્મા મંદિરના હોલમાં યોજયો હતો.

સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા સહિતના પદાધિકારીઓ, ડેપ્યુટી ડી.ડી.ઓ સહિતના અધિકારીશ્રીઓ અને લાભાર્થી બહેનો- ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા.

જે સ્થળે આ કાર્યક્રમ યોજાયો હતો. તે હોલની જગ્યા નાની હોય જેને લઇને  ઘણા બધા લાભાર્થી બહેનો મંદિરના પટાંગણમાં ગરમીમાં બેઠા હતા. તો ઘણા લાભાર્થીઓને બેસવા માટે ખુરશસ પણ મળી નો હતી. આવા ભાઇઓ લાઇનમાં ઉભા રહી કાર્યક્રમ નિહાળી રહ્યા હતા. બીજીબાજુ સ્ટેજ ઉપર સંસદસભ્ય શ્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓને ગરમી નો થાય તે માટે પંખા ઉપરાંત એરકુલર પણ ગોઠવવામાં આવ્યા હતા. જયારે હોલની બહાર બેઠેલા બહેનો પોતાના રૂમાલ અને ખાલી થેલીઓ વડે ગરમીથી બચવા હવા ખાતા જોવા મળ્યા હતા. (૧.૧૧)

(12:56 pm IST)