Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

જામનગર ધી કોમર્શીયલ કો.ઓપ.બેન્ક દ્વારા સ્નેહ મિલન

જામનગરની અગ્રણી ધી કોમર્શીયલ કો.ઓ.બેંક લી.દ્વારા હિસાબી વર્ષના અંતે બેંક કર્મચારીઓ અને મેનેજમેન્ટનું સ્નેહમિલન યોજવામાં આવેલ જેમાં બેંકના ચેરમેન પ્રવિણભાઇ ચોટાઇએ અધ્યક્ષીય પ્રવચન આપતા બેંક એ વર્ષ ૨૦૧૭-૧૮ ના વર્ષમાં બેંકની પ્રગતી, વહીવટ, વિશ્વવસનીયતા અને સધ્ધરતા અંગેની જાણકારી આપી આ વર્ષ એ બેંકે ૬ કરોડ ૪૧ લાખનો ગ્રોસ નફો કર્યાનું જાહેર કરેલ અને તમામ સભાસદો અને કર્મચારીગણ તથા ગ્રાહકોને અભિનંદન પાઠવેલ આ સમયે બેંકના વાઇસ ચેરમેન મહેશભાઇ રામાણી, મેનેજીંગ ડાયરેકટર ડો.બિપીનચંદ્ર ટી.વાધરએ પ્રાસંગિક ઉદબોધન કરેલ. કાર્યક્રમમાં બેંકના જો.મેનેજીંગ ડાયરેકટર કુશકુમાર ઉદાણી, ડાયરેકટરો ઇન્દુભાઇ વોરા, જીતેન્દ્ર એસ.શાહ, કેતનકુમાર પટેલ, વિજયભાઇ સંઘવી, અશ્વિનભાઇ બરછા તથા બેંકના કાયદાકીય સલાહકાર બિપીનભાઇ ઝવેરી બેંકના જનરલ મેનેજર સુરેશ ડી.રાયઠ્ઠા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેંક મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા બેંકના ચેરમેન બિપીનભાઇ વાધર તથા પ્રવિણભાઇ ચોટાઇનું શાલ અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવેલ બેંકના કર્મચારી હિતેશ કોઠારી એ કર્મચારીગણ વતી પ્રતિભાવ આપેલ જયારે કાર્યક્રમનું સંચાલન બેંકના અધિકારી વિમલભાઇ દવેએ કરેલ આ પ્રસંગે સંગીત સંધ્યા પણ યોજવામાં આવેલ. (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર)(૩.૮)

(12:52 pm IST)