Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ઉપલેટામાં ખલીફા આધેડની ખાડામાં તરતી લાશ મળી

ઉપલેટા તા. ૨૦ : હિન્દૂ સ્મશાન રોડ પર આવેલા રસુલપુરા વિસ્તારમાં રહેતા અમીન ઉર્ફે અમલો જુસબભાઈ ખલીફા ઉ.વ. ૬૦ નામના મુસ્લિમ વ્યકિતની લાશ  મોજ નદીના ચેકડેમ પાસેના ગંદા પાણીના ખાડામાં તરતી મળી આવી હતી.

મરનાર વ્યકિત તેની ૮૫ વર્ષીય માતા હનીફાબેન જુસબભાઈ ઓસમાણભાઈ ખલીફા, જે બીજાના ઘરકામ કરી- મજૂરી કરી પેટીયુ રળે છે. મરનાર એની સાથે રહેતો હોય. હનીફાબેનના જણાવ્યા પ્રમાણે તેનો દીકરો અમીન ઉર્ફે અમલો પરમ દિવસે વહેલી સવારે ચાર વાગ્યે આવ્યો હતો. ત્યારબાદ એને જોયો નથી. તેમના જણાવ્યા પ્રમાણે તે રખડતો-ભટકતો રહેતો હતો. બે-ત્રણ દિવસે ઘરે આવે અને પાછો જતો રહેતો. તેની પત્ની પણ વર્ષોથી છોડીને જતી રહેલ. અને તેના બે દીકરાઓ પણ ઘર છોડીને જતા રહેલા છે.

મરનારની લાશને ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ત્યાંથી પીએમ માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે. વધુ આગળ તપાસ પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે.

(11:22 am IST)