Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

મધ્યગીરનું સુપ્રસિદ્ધ તુલસી શ્યામ મંદિર યાત્રિકો માટે 31 સુધી બંધ રાખવા નિર્ણંય

ભોજનશાળા,વિશ્રાંતિ ગૃહ,ધર્મશાળા,પણ સંપ્રુણ બંધ રાખવામાં આવશે,

ઉનાના મધ્યગીરમાં આવેલ સુપ્રસિદ્ધ શ્યામ સુંદર ભગવાનનું મંદિર તુલસી શ્યામના મેનેજરની યાદી મુજબ દેશમાં કોરોના વાયરસના ફેલાવાના ભયને કારણે સાવચેતી રૂપે તા,21 થી તા,31 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે,તેમજ ભોજનશાળા,વિશ્રાંતિ ગૃહ,ધર્મશાળા,પણ સંપ્રુણ બંધ રાખવામાં આવશે,

ભગવાનની રાબેતા મુજબ આરતી,ભોગ પૂજારી દ્વારા કરવામાં આવશે તેની યાત્રિકોએ નોંધ લઈને તુલસી શ્યામ નહીં આવવા વિનંતી કરાઈ છે

(8:07 pm IST)