Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

બગદાણાનું બજરંગદાસ બાપા મંદિર અચોક્કસ મુદત માટે બંધ પ્રસિદ્ધ માટેલ મંદિર - તુલસીશ્યામ મંદિર 10 દિવસ બંધ રહેશે

પોરબંદર જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ : સાળંગપુર હનુમાનજી મંદિર 31 માર્ચ સુધી બંધ

અમદાવાદ : ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ પાંચ કેસ નોધાયા છે ત્યારે  બગદાણાનું બજરંગદાસ બાપા મંદિર બંધ રહેશે અને બાપાના દર્શન અચોક્કસ સમય સુધી બંધ કરાયાછે  મોરબી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ માટેલ મંદિરને 10 દિવસ માટે બંધ કરાયું છે

  કોરોના વાયરસને પગલે પોરબંદર જિલ્લામાં કલમ 144 લાગુ કરાઇ છે . તારીખ 20થી 31 તારીખ સુધી જાહેરનામાની અમલવારી રહેશે કોરોના વાઈરસને લઈને સાળંગપુર હનુમાનજી મંદિર 31 માર્ચ સુધી યાત્રીકો માટે બંધ રાખવામાં આવશે

(2:05 pm IST)