Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

શાપર વેરાવળમાં 'કોરોના' સામે જનજાગૃતિ અભિયાન

શાપર વેરાવળ : કોટડાસાંગાણીના વેરાવળ ગામે કોરોના વાયરસના સાવચેતી પગલાના ભાગરૂપે વેરાવળ મેઈન રોડ પરઙ્ગ ભરાતી બુધવારી(ગુજરી)માં બહારથી મોટીસંખ્યામાંઙ્ગ વેપારીઓ માલ વહેંચવા આવતા હોય જે માલની ખરીદી કરવા શાપર વેરાવળ તેમજ આજુબાજુના ગામોમાંથીઙ્ગબહોળી સંખ્યામાં લોકો આવતા હોય તો વેરાવળ ગ્રામઙ્ગ પંચાયતનાઙ્ગસરપંચ ઉજીબેન રાઠોડ કોટડાસાંગાણી તાલુકા ભાજપ મહામંત્રી રવિરાજસિંહ જાડેજા તેમજ શાપર પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવી લોકોને સાવચેત રહેવા તેમજ અફવાથી દૂર રહેવા માઈક દ્વારા જાહેરાત કરી અપીલ કરેલ છે. (તસ્વીર - અહેવાલ : કમલેશ વસાણી, શાપર - વેરાવળ)

(12:57 pm IST)