Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

વાંકાનેર નજીકના માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજી મંદિર ૨૯મી સુધી બંધ

વાંકાનેર તા. ૨૦ : કોરોના વાયરસ સમગ્ર વિશ્વને ભરડો લીધો છે ત્યારે આપણા દેશ અને રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે ઘણા સારા અને ઝડપી નિર્ણયો લઇ કોરોના વાયરસ સામે લડવા જાગૃતિ દાખવવામાં આવી રહી છે સાથે ધાર્મિક, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ સરકારશ્રીના આવકારદાયક નિર્ણયને માન આપ્યું છે.

માટેલ ગામે આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ આઇશ્રી ખોડીયાર માતાજીના મંદિરે પણ દરરોજ મોટા પ્રમાણમાં દર્શન અર્થે ભાવિકો પધારતા હોય તેઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ તા. ૨૯મી સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય જાહેર કરી ગામના પાદરમાં અને મંદિરના ગેઇટ ઉપર બેનરો મારી મંદિર બંધ હોય ભાવિકોને નહી પધારવા વિનંતી કરવામાં આવી છે.

(11:53 am IST)