Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ભાવનગરની બ્લડ બેંક રકતદાન શિબિરને બદલે ૪ થી પ નાના ગૃપમાં રકતદાન સ્વીકારશે

ભાવનગર તા.૨૦ : બ્લડ બેંકના સ્વેચ્છિક તથા રકતદાન કેમ્પનું આયોજન કરતી સંસ્થાઓને કોરોનાના કહેર સામે સલામતીને ધ્યાને રાખી મોટી સંખ્યામાં રકતદાન શિબિરમાં રકતદાન કરવાને બદલે ૪ થી પના ગૃપમાં નાના નાના જુથનું રકતદાન સ્વીકારવાનું અભિયાન હાથ ધરેલ છે.

કોરોના વાયરસ અંગે લોકોમાં શૈૅૅક્ષણિક સંસ્થાઓમાં તથા કેમ્પ આયોજન કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓને કોરોનાના વાયરસ સંક્રમણ અંગેની પત્રિકા સેનેટાઇઝર અંગે સાબુ તથા થેલેસેમીક બાળકોની માતા દ્વારા બનાવેલ થેલીઓ શુભેચ્છા તરીકે આપી આ રોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરેલ છે.

રકતદાતાઓને નાના જૂથમાં વેચી રકતદાનક્ષેત્રે દર્દીઓને કોઇ તકલીફ ન રહે તેનુ ધ્યાન રાખી રકતદાન કરવા આગળ આવવા બ્લડ બેંકની યાદીમાં અપીલ કરાઇ છે.

(11:51 am IST)