Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સારંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર બંધ રહેશે : સોશ્યલ મીડિયાના માધ્યમથી થશે દર્શન

31 મી માર્ચ સુધી મંદિરના દ્રાર બંધ રખાશે : ભક્તોને સોસિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાહવો લેવા આહવાન

સાળંગપુર : કોરોના વાયરસને કારણે સાંળગપુર કષ્ટભંજદેવ હનુમાનજી મંદિર બંધ રાખવા નિર્ણ્ય લેવાયો છે ભગવાન કષ્ટભંજન દેવને 31 મી માર્ચ સુધી મંદિરના દ્રાર બંદ રાખવા પડશે કારણ કે મંદિરે રાજ્યો અને દેશના હજારો લોકો પોતાના દુઃખડા દૂર કરવા અને માનતાઓ પૂર્ણ કરવા મંદિરે આવે છે ત્યારે મંદિર વ્યવસ્થાપક કમિટી એ 31મી માર્ચ સુધી મંદિર પરિસર બંદ રાખવાનો અને ભક્તોને સોસિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાહવો લેવા આહવાન કર્યું છે.

(12:53 am IST)