Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જસદણના ઇબ્રાહીમ પઠાણની રેન્જ આઇજી કચેરી સામે આત્મવિલોપનની ચિમકી

માતાના મોત અંગે એસપીને રજુઆત કરાયા બાદ કોઇ કાર્યવાહી ન કરાયાનો આક્ષેપ

રાજકોટ, તા., ૨૦: જસદણ ગેબનશા સોસાયટીમાં રહેતા ઇબ્રાહીમભાઇ આલમભાઇ પઠાણે રેન્જ આઇજીપીને લેખીત રજુઆત કરી પોતાની ફરીયાદ અંગે કોઇ કાર્યવાહી ન કરાય તો આઇજી કચેરી સામે આત્મવિલોપન કરવાની ચિમકી આપેલ છે.

રજુઆતમાં જણાવ્યું છે કે અમો અરજદારની માતા રશીદાબેનને મોતને ઘાટ ઉતારી દફનાવી દીધાની ઘટના અંગે ગત તા. ૧ર-૩-ર૦૧૯ના રોજ રાજકોટ એસપીને લેખીત ફરીયાદ કરી હતી. પરંતુ આ ફરીયાદ અન્વયે  પોલીસ દ્વારા તપાસ કરી કોઇ કાર્યવાહી હજુ સુધી કરાઇ નથી. આ અંગે તાકીદે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો રેન્જ આઇજી કચેરી સામે આત્મ વિલોપન કરવાની ચિમકી આપેલ છે. (૪.૪)

(11:54 am IST)