Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

અમરેલીમાં બે સ્થળેથી રૂ. ૭ લાખની તસ્કરી કરનારાઓની શોધખોળ

અમરેલી તા. ૨૦ : અમરેલીમાં કુંકાવાવ રોડ પર રહેતા અને શ્રીજી ટેઈલર નામે દુકાન ધરાવતા અશોકભાઈ નંદલાલભાઈ ધામેચા ગત રાત્રીના સમયે પરિવારજનો સાથે ખીજડીયા ગામે ગયા હતા અને પાછળથી તસ્કરોએ બેધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઘરમાં ઘૂસી તસ્કરો રોકડા રુપિયા ૯૦ હજાર, અઢી તોલાનો સોનાનો સેટ, બે સોનાની વીંટી, બે ચાંદીની બંગડી, ચાંદીના છડા સહિત બે લાખ ઉપરાંતની મત્તા તસ્કરો ઊઠાવી ગયા હતા.

અહીંથી થોડે આગળ આવેલી અક્ષર સોસાયટીમાં રહેતા વિજયઘાઈ મધુભાઈ ધંધુકીયા પણ ખીજડીયા ગામે પરિવાર સાથે લગ્નમાં ગયા હતા ત્યારે બેધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ઘરમાંથી રોકડા રુપિયા ર.૧પ લાખ, સોનાની બુટી, બે વીટી, બે પેંડલ વગેરે મળીનેર.૪૦ લાખના આભૂષણો તસ્કરો ઊઠાવી ગયા હતા.

આ ઉપરાંત વિનોદભાઈ કાનજીભાઈ સોરઠીયાની બાઈક કિ રૂ.૨૦ હજારની પણ ચોરીની થઈ હતી. અમરેલીમાં થોડા સમય પહેલા જ આડ લાખની ચોરીની ઘટના બની હતી તેનો પણ હજુ ભેદ ઉકેલાયો નથી. તસ્કરોના તરખાટથી લોકો પોતાના ઘરમાં સલામત ન હોવાથી કાયદો અને વ્યવસથાની સ્થિતિ કથળી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.(૨૧.૨૮)

(2:41 pm IST)