Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

વેરાવળના આંબલીયાળામાં દલિત યુવકની હત્યા પ્રકરણમાં આંદોલનની ચિમકી

વેરાવળ તા.ર૦ :તાલુકાના આંબલીયાળા ગામે તા.ર૩/ર ના રોજ ભરત ગોહેલની ચાર અજાણ્યા શખ્સોએ સળગાવી લઇ હત્યા કરાવી નાખેલ હતી પોલીસે તેમાં દેવાયત જોટવાની ધરપકડ કરેલ હતી. ત્યાર બાદ સરકારે સહપ્રશ્નો અંગે૧૦ દિવસમાં ઉકેલ કરવાની ખાત્રી આપેલ હતી તેમાં છતા કોઇ કામગીરી જ થતા સમસ્ત અનુસુચિત સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદાન પત્ર આપેલ છે કે જો પીડીતોને ન્યાય નહી મળે તો સમાજ દ્વારા આગામી દિવસોમાં આંદોલન ઉપવાસ કરવામાં આવશે તેવું એક આવેદન પત્રમાં આગેવાનોએ જણાવેલ હતું.

(2:40 pm IST)