Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

હળવદના રણજીતગઢ ગામે હરીકૃષ્ણધામ મંદિરમાં રૂ. ૩૮,૮૦૦ના માલમતાની ચોરી

ચોરી કરનાર છ અજાણ્યા બુકાનીધારી શખ્સો કેમેરામાં કેદ

( દીપક જાની દ્વારા ) હળવદ,તા. ૨૦: તાલુકા ના રણજીતગઢ ગામે આવેલ હરીકૃષ્ણધામ મંદીરમાંથી રૂ.૩૮૮૦૦ ની માલમતાની ચોરો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મંદિરમાં ચોરી કરનાર છ અજાણ્યા બુકાનીધારી શખ્સો સીસીટીવીમાં કેમેરામાં કેદ થયા છે. આ બનાવ અંગે મંદિરના સંચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ફરિયાદી માવજીભાઇ રામજીભાઇ રંગાડીયા (ઉ.વ.૪૨ ધંધો-મંદીરમાં સંચાલક રહે-હરીકૃષ્ણધામ કવાર્ટર;રણજીતગઢ તા.હળવદ) એ મોઢે કપડા બાંધેલ કોઇ અજાણ્યા છ ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રે હરીકૃષ્ણધામ મંદીરમાં મોઢે કપડા બાંધેલ કોઇ અજાણ્યા છ ચોર ઇસમો ત્રાટકયા હતા. ત્યારબાદ મંદીરના તાળા તથા ઓફીસના તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ તથા સોનાની વીંટી મળી કુલ રૂપિયા અંદાજે ૩૮૮૦૦ ની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

(11:29 am IST)