Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

મોરબી જલારામ મંદિરના એકાદશમ્ પાટોત્સવની ઉજવણી

 જલારામ પ્રાર્થના મંદીર નો એકાદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભકિતભાવ પૂર્વક ઉજવાયો. જે અંતર્ગત સેવા કાર્યના સહયોગીઓ, કાર્યકરો તેમજ દાતાઓ સહીત કુલ ૧૭૫ સન્માન કરવામા આવ્યા ત્યાર બાદ સુપ્રસિધ્ધ કલાકારો જયમંત ભાઈ દવે, મનિષા બેન બારોટ, ભરત દાન ગઢવી તથા સુરેશ ભાઈ પટેલ દ્વારા ભજન સંધ્યા તેમજ લોકડાયરો યોજાયો હતો. રવિવાર સવારે પ્રભાત ધૂન, સવારે ૯ કલાકે વિના મૂલ્યે ડાયાબીટીસ તેમજ બી.પી. નિદાન કેમ્પ યોજાયો જેમા ડો. અમિત ઘેલાણી તથા ડો. ભાવિકા બેન સૂચક વિનામૂલ્યે સેવા પ્રદાન કરી હતી તેમજ કુલ ૧૦૨ લોકો એ કેમ્પ નો લાભ લીધો હતો. સાંજે ૭ કલાકે સર્વજ્ઞાતિય મહાપ્રસાદ નુ આયોજન કરવા મા આવેલ હતુ જેમા બહોળી સંખ્યા મા ભકતજનો એ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, નીર્મીતભાઈ કક્કડ સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરમાં લોકડાયરાની જમાવટ કરતા કલાકારો નજરે પડે છે.

(11:26 am IST)