Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ધોરાજી ના જૂનાગઢ રોડ મેઈન કેનાલ માંથી યૂવક નો મૃતદેહ મળતાં પોલીસે વધૂ તપાસ હાથ ધરી : મૃતક યૂવાન અજય અમરસીંગ ઠાકરે મધ્યપ્રદેશના ભીલવાડા પથંક નો

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી:તા.૨૦ ધોરાજી ના જૂનાગઢ રોડ પર પર આવેલ કેનાલ નજીક દિનેશભાઈ પટેલની વાડી પાસે રહેતા મધ્યપ્રદેશના ભીલવાડા ખેતીયા ગામના આદીવાસી અજય અમરસીંગ ભીલ ઉ.25 નો મૃતદેહ કેનાલ ના પાણી માથી મળી આવતાં મૃતક નો મૃતદેહ સરકારી હોસ્પિટલ ખાતે આવતાં ફરજ પર તબીબે પોલીસ ને જાણ કરાતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઈ ને પ્રાથમીક તપાસ હાથ ધરી ને મૃતક ના મૃતદેહ નૂ પીએમ કરાવી ને આગળની કાયવાહી હાથ ધરાઈ છે

આ અંગે પોલીસ ની પાથમીક તપાસ મા મૃતક યૂવાન અજય અમરસીંગ ઠાકરે ઉ.25 મધ્યપ્રદેશના ભીલવાડા પથંક નો રહેવાસી છે ધોરાજી ખાતે ખેત મજુરી કામ કરતો હતો મૃતક યૂવાન નૂ કેનાલમાં ડૂબી જતા મોત નિપજતાં મૃતક ના મૃતદેહ નૂ પીએમ કરાવી ને વધૂ તપાસ હાથ ધરી છે  

(3:54 pm IST)