Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

જામજોધપુર ની સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં શિક્ષકને કોરોના પોઝિટિવ આવતાં ૩ દિવસ શાળા બંધ રહેશે

દર્શન મકવાણા દ્વારા ) જામજોધપુર : જામજોધપુર શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં શાળા ના શિક્ષકને  શરદી ઉધરસના સામાન્ય લક્ષણ જણાતા કોરોના ટેસ્ટ કરાવતાં પોઝીટીવ આવતા શાળા  તા.૨૦ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી ત્રણ દિવસ શાળા બંધ રાખવાનો નિર્ણય લીધો છે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાતચિત કરતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને ૩ દિવસ બંધ રાખી સમગ્ર શાળાને સેનેટાઈઝ કરી તથા તમામ કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરી આગળની કાર્યવાહી કરવા શાળાનાં આચાર્યને આદેશ કર્યો છે આ ત્રણ દિવસ ધો.૧૦ થી ૧૨ના ઓનલાઈન વર્ગ ચાલુ રહેશે જે બાબતે વિદ્યાર્થીઓને પણ નોંધ લેવાનું જણાવાયું છે.

(8:02 pm IST)