Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

મોરબીના કારખાનામાં બીજા માળેથી પડી જતા બલવીરસિંઘનું રાજકોટમાં મોત

રાજકોટ, તા. ૨૦ :. મોરબીના વાંકાનેર રોડ પર આવેલ સિરામીક કારખાનામાં બીજા માળેથી પડી જતા યુવાનનું રાજકોટની હોસ્પીટલમાં મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ મોરબી-વાંકાનેર રોડ પર આવેલ વર્ધમાન સિરામીક કારખાનામાં રહેતા બલવીરસિંઘ દતારામભાઈ ગુર્જર (ઉ.વ. ૪૫) ગઈકાલે કારખાનામા કામ કરતો હતો. ત્યારે બીજા માળેથી અકસ્માતે પડી જતા તેને માથામાં તથા શરીરે ઈજા થતા રાજકોટની હોસ્પીટલમાં ખસેડાયો હતો ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. કૃપાલસિંહ તથા પ્રદિપભાઈ કોટડે કાર્યવાહી કરી હતી.

(11:36 am IST)