Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સંઘાણીને અભિનંદન પાઠવતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

અમરેલી તા. ૨૦ : નામાંકીત સહકારી સંસ્થા ગુજકોમાસોલના ચેરમેન તરીકે ફરી બિનહરિફ ચૂંટાઈ આવવા બદલ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના  અગ્રણીઓએ દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવેલ હતા. 

માંડવીયા એ શુભેચ્છા વ્યકત કરતા જણાવેલ કે, સહકારી પ્રવૃતિને સંઘાણી એ નવી દિશા આપી છે અને આ ક્ષેત્રનો બહોળો લાભ ગ્રામ્ય વિકાસ, ખેતિ અને ખેડૂત હિતમા વિસ્તરે તેવા અભિગમ સાથે સહકારી પ્રવૃતિ કામ કરી રહી છે તેનો શ્રેય પણ દિલીપ સંઘાણીના ફાળે જાય છે તેમ માંડવીયા એ શુભેચ્છા પાઠવતા જણાવેલ. 

(1:17 pm IST)