Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

જસદણમાં રાષ્ટ્રભાવના અંગે લેખક ડો.શરદ ઠકકરનું વકતવ્ય

 જસદણ : આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી નિમિતે ઓમકાર સ્કૂલ ખાતે હિન્દૂધર્મ અને રાષ્ટ્રપ્રેમના વિષય ઉપરઙ્ગ લેખક ડો. શરદ ઠાકરના વકતવ્યનું આયોજન કરેલ જેમાં જસદણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો બોહળી સંખ્યામાં હાજર રહીઙ્ગ ડો. ઠાકરના અદભુત વકતવ્યને માણ્યું હતું ડો. ઠાકરે વિવેકાનંદજીના અતિ દુર્લભ અને અજાણી વાતો અને રાષ્ટ્રપ્રેમની વાતોથી દરેક શ્રોતાને તરબોળ કર્યા હતા. મુખ્ય અતિથિમાં અરજણભાઈ રામાણી, બી.વી. બોરીચા , ડો.રામાણી, નીરજ શર્માજી(કે.જી.કે.ડાયમંડ) સાહિતનાએ હાજરી આપી આદર્શ ગ્રૂપનો ઉત્સાહ વધારેલ, કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : ધર્મેશ કલ્યાણી,જસદણ)

(12:03 pm IST)