Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

જામનગરમાં સેકશન રોડ વિસ્‍તારમાં રહેતા ક્ષત્રિય પરિવારના ધો.૧૧ સાયન્‍સના ‌વિદ્યાર્થીનો આપઘાતઃ ક્ષત્રિય પરિવારમાં શોક

જામનગરઃપ્રથમ ધોરણ આઠ, બાદમાં બીએડ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી એ આપઘાત કર્યા બાદ જામનગરમાં વધુ એક વિદ્યાર્થીએ અગમ્ય કારણસર આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવતા શિક્ષણવિદો સહિતના સભ્ય સમાજમાં શોક સાથે ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.શિક્ષિત પરિવારના પુત્રના અવિચારી પગલાંને લઈને ક્ષત્રિય પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

જામનગર શહેર જિલ્લામાં વિદ્યાર્થીઓના આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ધ્રોલમાં આઠમાં ધોરણની હોશિયાર વિદ્યાર્થીનીએ પ્રથમ નમ્બરની ચિંતામાં આપઘાત કરી લીધાના બનાવનો હજુ શોક અવિરત છે ત્યાં શહેરના સેકશન રોડ પર સત્યમ હોટલ પાછળના વિસ્તારમાં રહેતા મયુરસિંહ ભુપતસિંહ જાડેજા (ઉ.વ.૧૭) નામના વિધાર્થીએ શનિવારે સાંજે પોતાના ઘરે જ પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની જાણ થતા સીટી બી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડયો છે. મૃતક વિધાર્થી ઘો.11 સાયન્સમાં અભ્યાસ કરતો હોવાનુ જાણવા મળ્યું છે.

અકળ કારણોસર વિધાર્થીએ આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે ત્યારે ચોક્કસ કારણ જાણવા પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે.વિદ્યાર્થીના પિતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાધ્યાપક તથા માતા પણ શિક્ષણ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હોવાનુ પણ જાણવા મળ્યુ છે. શિક્ષિત પરિવારના સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરેલા આપઘાતના પગલે શોકનું મોજુ પ્રસરી ગયું છે.

(1:20 pm IST)