Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

જૂનાગઢમાં પરશુરામ ફાઉન્ડેશન દ્વારા ભાજપના નવનિયુકત હોદ્દેદારોનું સન્માન

જૂનાગઢ,તા. ૧૯: પરશુરામ ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા શ્રી કે.ડી.પંડ્યા સાહેબના માર્ગદર્શનમાં જૂનાગઢ શહેર ભાજપ કારોબારીના નવનિયુકત હોદેદારોને સન્માનીત કરવાનો કાર્યક્રમ નોબેલ સ્કુલ ખાતે તા. ૧૧/૧૨ /૨૦૨૦ ના રાખવામાં આવેલ. પ્રમુખ શ્રી પુનીતભાઇ શર્મા, મહામંત્રીશ્રી શૈલેષભાઇ દવે, ઉપપ્રમુખ શ્રી અશોકભાઇ ભટ્ટ, ઓમતાઇ રાવલ, ચંદ્રિકાબેન પંડ્યાનું સન્માન પૂર્વ મેયર શ્રી આધ્યાશકિતબેન મજમુદાર, ડે. મેયર શ્રી હિમાશુંભાઇ પંડ્યા શ્રી મહેશભાઇ જોષી, મુકેશભાઇ મહેતા, હષુભાઇ જોષી, આરતીબેન જોષી, જયદેવભાઇ જોષી, સનતભાઇ પંડ્યા, કેતનભાઇ ભટ્ટ, ગાયત્રીબેન જાની, પારસભાઇ રાવલ, ભાવનાબેન, પૂર્ણિમાબેન, નીલમબેન, માલતીબેન, કુસુમબેન, નીલાબેનની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું. આ તબક્કે શ્રી પુનીતભાઇ શર્મા અને શૈલેષભાઇ દવેએ એમના વકતવ્યમાં નોંધપાત્ર વાત કરી કે તેો માત્ર એક સમાજ નહીં પરંતુ તમામ સમાજને સાથે રાખી શહેરના વિકાસ અને લોકોની સુખાકારી માત્ર સતત પ્રયત્નશીલ રહેશે એવો સંદેશ આપ્યો.

(11:13 am IST)