Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

વડિયાના સનાળા ગામે સિંહે ગાયનુ મારણ કર્યુઃ ખેત મજુરોમાં ભય

વડિયા તા.૧૯: વડિયાના સનાળા ગામે સિંહ આવી ચડતા ગાયનુ મારણ કરેલ વડિયા તાલુકાના  ના સનાળા ગામે સિંહ ની જોડી એ ગાય નું મારણ કર્યું ગામ ના પાદરમાં ધર આંગણે છ ગાયો બાંધેલ હતી ત્યારે રાત્રી ના સમયે સિંહ અને સિંહણ બન્ને સાથે આવી ચડતા એક ગાયનું ધટના સ્થળે જ મારણ કરેલ જ્યારે બાકીની પાંચ ગાયો દોરડું તોડાવી ભાગી ગયેલ વડિયાના સનાળા ગામે રહેતા બધાભાઈ ભરવાડ ના ધર આંગણે બાંધેલ ગાયને ફાડી ખતા નાના એવા ગામમાં હાહાકાર મચી ગયો હતો જ્યારે આ વાત સાંભળીને વાડી ખેતર માં ખેડૂતો તેમજ મજૂરો ને લાગે છે બીક મજૂર લોકો રહે છે જ ખેતરોમાં...બધાભાઈ ભરવાડ ની ગાયનુ મારણ કર્યું તેવા સમાચાર મળતાં વડિયા કુંકાવાવ તાલુકા આર એફ ઓ વી.એમ ડવ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા બાદમાં તપાસ કરતા સિંહ સિંહણ બન્ને સાથે હોવાનું જાણવા મળેલ છે અને દિવસ દરમિયાન તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવેલ હતો બાદમાં બન્ને ના સગડ મળ્યાં હતા હાલતો ગામ જનો દ્વારા એને જંગલ ખાતા દ્વારા તપાસ કરી રહ્યા છે. બાઘાભાઈ ભરવાડ ની ગાય નું કર્યું મારણ.કુંકાવાવ આર એફ ઓ વાઘજીભાઈ ડવઃ ઘટના સ્થળે ગઈ રાતે સિંહ યુગલ એ ગઈ રાતે મારણ કરેલ.ખેત મજૂરો ખેતર જતા ડરે છે .હાલ કપાસ ની સિઝન હોઈ ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે.

(11:57 am IST)