Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જેતપુરના ગોલાના વેપારીની પ્રામાણિકતા : સરકારી નોકરીયાતના ૧.૧૦ લાખ પરત કર્યા

 નવાગઢ તા. ૧૯ : જેતપુરના તાલુકા પોલીસ સ્ટેશન સામે આવેલ મિલન ગોલાવાળાને ત્યાં ગઈકાલ સાંજે સરકારી નોકરી કરતા વિપુલભાઈ હર્ષદભાઈ લેહરૂ રાત્રીના સમયે ગોલા ખાવા માટે આવેલ અને પોતાના હાથમાં રહેલ રૂપિયાનું પેકેટ ત્યાંજ રેંકડી માં ભૂલી ચાલ્યા ગયા હતા અને મિલન ગોલા વાળા યુનુષભાઈને આ ૧.૧૦ લાખ રકમ હાથમાં આવતા તેના દ્વારા રાત્રે અનેક લોકોને આ અંગે પૂછપરછ કરી ખરાઈ કરી પણ બીજા દિવસે વિપુલભાઈને તેના પૈસા કયાં મુકાઈ ગયા હોવાનું યાદ આવતા તેને મિલન ગોલાવાળા યુનુષભાઈને ત્યાં તપાસ કરતા તેને તેનું પૈસાનું પેકેટની ખરાઈ કરી અને ત્યારબાદ આ મામલે પત્રકાર નાસિર બોઘાણી સાથે રાખી શહેર પોલીસ મથકે જઈ પોલીસની હાજરીમાં તેની રકમ પરત આપી આ ગોલાની ઙ્ગરેંકડી વાળાએ પોતાની પ્રામાણિકતા બતાવી હતી.

(4:34 pm IST)