Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જૂનાગઢ પરિક્રમામાં નિશુલ્ક ચા-પાણીની સેવા

પૂ. મુકતાનંદબાપુ પ્રેરિત શ્રી હરિઁ વૃદ્ધાશ્રમ અને અન્નક્ષેત્ર જેતપુર નવાગઢ હાઇ-વે પર નિકળતા યાત્રિકો માટે અવિરત સેવાયજ્ઞ કાળુભાઇ જોષી (જોષી બાપા) દ્વારા થઇ રહ્યો છે ત્યારે આ સેવાની સરવાણી જૂનાગઢ પરિક્રમા સુધી પહોંચાડી પરિક્રમામાં દામોદાર કુંડની બાજુમાં શ્રી હરિઁ વૃદ્ધાશ્રમ નેશનલ હાઇવે ધારેશ્વર પીઠડીયા જેતપુર દ્વારા ચા-પાણીની નિશુલ્ક સેવાયજ્ઞ ધમધમી રહ્યો છે. ઉપરોકત તસ્વીરમાં ભાવિકો માટે ચા બનાવતા કાળુભાઇ જોષી અને તેની ટીમના સ્વંયસેવક વિઠ્ઠલભાઇ બોઘરા, તથા ગોપાલભાઇ, રમેશભાઇ, લાલજીભાઇ ગોંડલીયા, રામભાઇ, ગિરધરભાઇ, લવાભાઇ સહિતના નજરે પડે છે. આ સેવાયજ્ઞની રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના જૂનાગઢના પ્રમુખ કમલેશભાઇ ભરાડ સહિતનાએ મુલાકાત લીધી હતી. (અહેવાલ-વિનુ જોશી)

(1:39 pm IST)