Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

વેરાવળ તાલુકાનાં ઇણાજમાં સેવા સેતુ કાર્યક્રમમાં રર૮૪ વ્યકિતલક્ષી પ્રશ્નોનો નિકાલ

વેરાવળ તા.૧૭: ઇણાજ ખાતે બીન નિગમનાં ચેરમેન રાજેશભાઇ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સેવા સેતું કાર્યક્રમમાં રર૮૪ વ્યકિતલક્ષી પ્રશ્નોનો સ્થળ પરજ નિકાલ કરાયો હતો. પ્રવાસન નિગમના ડિરેકટર ઝવેરીભાઇ ઠકરારની હાજરીમાં ચોથો તબકકાનો સેવા સેતું કાર્યક્રમ યોજાયો હતો.

આ સેવા સેતું કાર્યક્રમમાં આવકનાં દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડ સુધારો, વધારો, મા અમૃત કાર્ડ સહિત સરકારી રર વિભાગોની પપ જેટલી સેવાઓનો લોકોને લાભ આપવામાં આવ્યો હતો. ઇણાજ તેમજ આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજદારો આ સેવાસેતું કાર્યક્રમમાં સહભાગી થવાની સાથે જ તેઓએ વ્યકિતલક્ષી પ્રશ્નનો સ્થળ પરજ તુરંત નિકાલ કરાયો હતો.

મામલતદાર દેવકુમાર આંબલીયા, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીનાં કર્મચારીઓ ઉપસ્થિત રહી અરજદારોના પ્રશ્નો ઉકેલવામાં આવેલ હતાં.

(1:37 pm IST)