Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

પોરબંદરના દરિયામાં ગોઝા વાવાઝોડાની અસરની સંભાવના : ૩ નંબરનું સિગ્નલ

પોરબંદર, તા. ૧૯ : તામીલનાડુથી શરૂ થયેલ ગોઝા નામના વાવાઝોડાની અસરથી પોરબંદરના દરિયાના પાણીમાં કરન્ટ વધે તેવી સંભાવના હોય અગમચેતીના પગલા માટે દરિયાકાંઠે ૩ નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ખેડવા વખતે સાવચેત રહેવા ચેતવણી અપાય છે. દરિયામાં આજે સવારે સખત આંધી છવાય હતી. શહેરમાં હળવી ધુમ્મસ રહી હતી.

ગુરૂત્તમ ઉષ્ણાતામાન ૩ર.ર સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૧૮.૯ સે.ગ્રે. ભેજ ૯૬ ટકા, હવાનું દબાણ ૧૦૧૪.ર એચ.પી.એ રહ્યું હતું.

(1:36 pm IST)