Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સુત્રાપાડા તાલુકામાં એકતાયાત્રા

પ્રભાસ પાટણ તા.૧૮: ગીર સોમનાથ જીલ્લામાં ૧પ નવેમ્બરથી શરૂ થયેલી બીજા તબકકાની એકતાયાત્રાનો તા.૧૭ના રોજ  સુત્રાપાડા તાલુકામાં પ્રવેશ થયો હતો. વાસાવડ ગામે સવારના એકતાયાત્રા પ્રવેશતા ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા સરદાર સાહેબને ભાવાંજલી આપી હતી. ત્યારબાદ પ્રાસંલી, ભૂવા ટીંબી, ઓરાજ, મોરડીયા, પીપળવા, રંગપૂર, ગાંગેચા અને ભુવાવાડા સહિતનાં ૧૦ ગામોમાં એકતા યાત્રા ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ તકે સુત્રાપાડા તાલુકાના ગામોમાં સરદાર સાહેબની પ્રતિમાને શ્રધ્ધાંજલી અર્પી અને વંદન કરેલ હતા. યાત્રાના સ્વાગતની તસ્વીર.

(11:03 am IST)