Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સ્વચ્છ ભારત મિશન, સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત સ્વચ્છ વોર્ડ-૩માં જામનગર મહોત્સવ

જામનગરઃ સ્વચ્છ જામનગર મહોત્સવ અનુસંધાને શહેરના વોર્ડ નં. ૩ ઇન્દ્રદીપ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સ્વચ્છતા રેલી તથા જન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ. આ કાર્યક્રમ અન્વયે ચેરમેન સુભાષભાઇ જોશી, સભ્ય દિનેશભાઇ પટેલ, સભ્ય અલ્કાબા જાડેજા તથા સભ્ય ઉષાબેન કંટારીયા દ્વારા ભીના તથા સુકા કચરાના વર્ગીકરણ માટે ડસ્ટબીન વિતરણ કરવામાં આવેલ છે. સોસાયટીના રહીશો દ્વારા વોર્ડના કોમર્શીયલ વિસ્તારોમાં પત્રિકાઓ વિતરણ તથા જન જાગૃતિ રેલી કરવામાં આવેલ. ચેરમેનશ્રી તથા વોર્ડના સભ્યશ્રીઓ દ્વારા સ્વચ્છતા અને કોવીડ ૧૯ અંતર્ગત શપથ લેવાડવામાં આવેલ તથા લોકોને ભીનો તથા સુકો કચરો અલગ અલગ રાખવા સમજણ આપી ડોર ટુ ડોર કલેકશન વાહનમાં અલગ અલગ આપવા અપીલ કરવામાં આવેલ. ત્યારની તસ્વીરો.

(12:40 pm IST)